વાંકાનેરમાં પ્રેમી યુગલ ભાગી જવા મુદે બઘડાટી : બેને ઇજા

- text


ત્રણ શખ્સો સામે માર મર્યાની વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર શહેરના થાન રોડ પર લુણસોરીયા ફાટક પાસે અગાઉ પ્રેમી યુગલ નાસી જવા મામલે થયેલી માથાકૂટનો ખાર રાખીને ત્રણ શખ્સોએ બે યુવાનો પર હુમલો કર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર થાનગઢના અમરાપરમાં રહેતા અજયભાઈ ધીરૂભાઇ કણોતરાએ નવધણભાઈ વેરશીભાઈ,હકાભાઈ વેરશીભાઈ અને સંજયભાઈ વેરશીભાઈ કોળી સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી કે, ગઈકાલે તેઓ સાહેદ ગોપાલભાઈ છગનભાઇ દેગામા સાથે થાન રોડ ઉપર લુંણસરીયા ફાટક પાસે હતા.તે સમયે આરોપીઓ એક વર્ષ પહેલાં પ્રેમી યુગલ ભાગી ગયું હોય તે બાબતમાં સહકાર ન આપ્યો હોવાની માથાકૂટનો ખાર રાખીને ફરિયાદી અને સાહેદને લોખડના પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text