હળવદના નવા અમરાપર ગામે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

- text


મૃતદેહ કેનાલમાં તરતો હોવાની ગ્રામજનોને જાણ થતાં બહાર કઢાયો : ઈસનપુર ગામે ખેતમજૂરી કરતાં પરિવારની મહિલા હોવાનું ખુલ્યું

હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં થી આજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ પંથકના નવા અમરાપર ગામે આવેલ નર્મદા કેનાલમા કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ નર્મદા કેનાલ કાંઠે થી પસાર થતા ગ્રામજનોને થતા તેઓ દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ સરપંચને કરવામાં આવી હતી જેથી સરપંચ ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોની મદદથી મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયો હતો અને આ અંગેની જાણ હળવદ પોલીસને કરી હતી

- text

જેથી પોલીસ નવા અમરાપર ગામે દોડી જઈ મૃતક મહિલાનો કબ્જો લઈ મૃતક મહિલા કયા ગામની છે અને કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરતા આ મહિલા ઇસનપુર ગામે ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની હોવાનું ખૂલવા પામ્યું હતું જેથી પોલીસ દ્વારા લાશ ને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે

 

- text