મોરબીમાં રાજપુત સમાજ દ્વારા તલવારબાજી ટ્રેનિંગ સેન્ટરના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ટાઉન હોલ ખાતે તલવારબાજી ટીમ ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સેન્ટરના તાલીમાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ સ્ટેટના યુવરાજ જયદિપસિંહજી (રાજારામ) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરી હતી. તેઓએ તાલીમાર્થીઓને શૌર્યભરી તથા પ્રેરણાદાયક વક્તવ્ય આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સેન્ટરના સંચાલકો તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા તાલીમાર્થીઓ ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે તલવારબાજી ટ્રેંનીંગ કેમ્પ 20 દિવસ માટે યોજાયો હતો. જેમાં ભારતીય સુરક્ષા દળોમાં જોડાવા ઇચ્છતા યુવાનોને શારીરિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આ ક્ષેત્રનું જરુરી સામાન્ય જ્ઞાન આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text