મોરબીમાં લાઈફ મિશન દ્વારા વિવિધ શાળામાં યોગ શિબિર યોજાઈ

- text


મોરબી : મોરબીમાં લાઈફ મિશન તથા લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સ્વામી રાજર્ષિ મુનિની પ્રેરણાથી વિવિધ શાળાઓમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત નવયુગ સંકુલ, સાર્થક વિદ્યાલય, ઋષિકેશ શાળા, સરસ્વતી શીશુમંદિર તથા ઉમા વિદ્યાલયમાં યોગ યુનિવર્સિટીના પ્રાધ્યાપક વિદુષીમાં તથા શોભાનાબા તેમજ લાઈફ મિશનના સભ્ય મનહરસિંહ જાડેજા, જ્યોતિબા જાડેજા, પ્રભુભાઈ પટેલ તથા રમેશભાઈ પટેલ, કે.જી.કુંડરિયા દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને યોગ વિષે જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ તકે ઉદ્યોગપતિ જે. જે. કુંડારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text