મોરબીમાં લારીવાળાની પ્રામાણિકતા : રૂ. 12 હજારની રોકડ સાથેનું પાકીટ માલિકને પરત કર્યું

- text


મોરબી : મોરબીમાં એક લારીવાળા પ્રામાણિક વ્યક્તિને રૂ.12 હજારની રોકડ સાથે પર્સ મળી આવ્યું હતું. ત્યારે આ વ્યક્તિએ કોઈ લાલચ રાખવા વિના જ સહજતાથી મૂળ માલિકને પર્સ પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

- text

મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લારીમાં ટીશર્ટ વેંચતા રવિભાઈ બળદેવભાઈ સોલંકીને એક પર્સ મળી આવ્યું હતું. જેમાં રૂ. 12 હજારની રોકડ સાથે અગત્યના ડોક્યુમેન્ટ પણ હતા. ત્યારે આ લારીવાળા યુવાને કોઈ પણ જાતની લાલચમાં આવ્યા વગર પર્સના મૂળ માલિક અશોકભાઈ મુળજીભાઈ ભંખોડીયાને પર્સ સુપ્રત કરી દીધું હતું. આ વેળાએ અશોકભાઈ પણ આ લારીવાળા યુવાનની પ્રામાણિકતા જોઈને ગદગદિત થઈ ગયા હતા અને યુવાનનો આભાર માન્યો હતો.

- text