ખેવારીયા ગ્રામ પંચાયત દ્વારા માં વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરાયું

- text


મોરબી : ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રજા ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે સેવા સપ્તાહ અંતર્ગત આજે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને સ્વામી વિવેકાનંદ મંડળના ઉપક્રમે મોરબીના ખેવારીયા ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને માં વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ખેવારીયા ગામના આગેવાન પરેશભાઈ શેરસીયા, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના જિલ્લા સંયોજક વિવેકભાઈ જે. કવૈયા, તાલુકા અને નગર સંયોજક યોગેશ સોનગરા, હિમાંશુ પરમાર, ધ્યાનેશભાઈ રાવલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text