- text
મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર રણછોડ નગરમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ તથા સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અંદાજે 200થી વધુ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં સરકારી હોસ્પિટલના ડો. અરુણાબેન નિમાવત તથા ડો. ખ્યાતિબેન ઠાકરએ સેવા આપી હતી. તેમજ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના બાબુભાઇ ગામી સહિતના સભ્યો તથા મંદિરના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
- text