મોરબીના રામધન આશ્રમ ખાતે કાલીન્દ્રી નદીના નીરનું પૂજન

- text


મોરબી : મોરબીના મહેન્દ્ર નગર સ્થિત રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાઁ દ્વારા કાલીન્દ્રી નદીને માતા સમાન માની નર્મદા સહિતની સાત નદીઓના પવિત્ર જળથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજન દરમિયાન માતાને ચૂંદડી અર્પણ કરી 69 દીવાઓ પ્રગટાવી ‘માં નર્મદે સર્વદે’ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ભાવિકોએ ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં કાલીન્દ્રી માતાનું પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

- text