મોરબીના દયાબેન રાઠોડને સુખડીયા સમાજે નારી રત્ન પુરસ્કારથી નવાજ્યા

- text


મોરબી : ગત તા. 15 સપ્ટે.ના રોજ અમદાવાદ ખાતે કાઠિયાવાડી દશા શ્રીમાળી સમાજ દ્વારા આયોજિત સામાન્ય સભા તથા વિદ્યાર્થી બહુમાન સમારોહ અંતર્ગત સમાજની પ્રગતિમાં ફાળો આપ્યો હોય કે પોતાના પરિવાર માટે અમૂલ્ય પ્રદાન આપ્યું હોય એવી ગુજરાતની 15 મહિલાઓને નારી રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ તકે મોરબીના સંજય કેટરર્સ પરિવારના દયાબેન મહીપતલાલ રાઠોડને સમાજના અધ્યક્ષ કિશોરભાઈ શેઠ તથા સ્માર્ટ સુખડીયા એપના સભ્ય નીતિનભાઈ મંડાલીયા દ્વારા નારી રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દયાબેનને મળેલા પુરસ્કાર બદલ પરિવાર તથા જ્ઞાતિજનો તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text