પદયાત્રિકો માટે સોનગઢ ગામ પાસે સેવા કેમ્પનું આયોજન

- text


માળીયા : માળીયા મિયાણા પાસે આવેલા સોનગઢ ગામ પાસે કચ્છ સ્થિત માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સતત 20 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મોરબી નિવાસી SBIના અધિકારી ધીરુભાઈ ચાવડા, PGVCLના અધિકારી કે. સી. જાડેજા, રાજુભાઈ ડાંગર સહિતના લોકો તેમજ સોનગઢ ગામના આહીર યુવાનો આ વર્ષે સેવા કેમ્પમાં જોડાયા છે. આ સેવા કેમ્પ આગામી તા. 22 સપ્ટે.થી 28 સપ્ટે. સુધી રાત-દિવસ અવિરત ચાલુ રહેશે. જેમાં પદયાત્રીઓને નાહવાની વ્યવસ્થા, ચા-પાણી-નાસ્તા-જમવાની વ્યવસ્થા, આરામ કરવાની માટેની વ્યવસ્થા તથા મેડિકલ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે આયોજકો દ્વારા દરેક પદયાત્રી તથા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.

- text