મોરબી : મનોજભાઇ ઓગણજાની રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં સંગઠન મંત્રી તરીકે વરણી

- text


મોરબી : મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજાની ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં આજે ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી.જેમાં આ સંગઠનના હોદેદારોની વરણી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજાની રાજ્યના મહામંડળમાં સંગઠન મંત્રી તરીકે સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી.જે બદલ મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

- text

- text