ટંકારામાં રાધા-કૃષ્ણ ગ્રુપ દ્વારા હાથમાં દીવડા રાખી મહાઆરતી કરી ગણપતિને ભાવભેર વિદાય અપાઈ

- text


ટંકારા : રાધા-કૃષ્ણ જીવાપરા શેરી દ્વારા ગણેશોત્સવનુ 3 વર્ષથી સુંદર આયોજન કરવામાં આવે છે. જેમા સોસાયટીના સભ્યો દ્વારા ગણપતિની મહાઆરતી કરી ગુણગાન કરીને ભક્તિ કરવામાં આવે છે. ત્યારે આ વખતે ગણેશ વિસર્જન સમયે ભાવિકો દ્વારા હાથમાં દીવડા રાખીને મહાઆરતી કરીને ભાવસભર ‘અગલે બરસ જલ્દી આ’ના ગગનભેદી નારા સાથે વિદાય આપવામાં આવી હતી.

- text