મોરબીના જોધપર ગામ પાસે આવેલા ડેમમાં ડૂબી જવાથી તરૂણનું મોત

- text


મોરબી : મોરબીના જોધપર ગામ પાસે આવેલા ડેમમાં ડૂબી જવાથી એક તરૂણનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતો કાનો સાગરભાઈ ભોજવીયા ઉ.વ. 13 જોધપર ગામ પાસે આવેલા ડેમમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે જાણ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text