જલારામ મંદિર દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે

- text


મોરબી : માનવ સેવા કરવા માટે સદા તત્પર રહેતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધના કરવા જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવા કેમ્પ યોજવામા આવે છે. પ્રવર્તમાન વર્ષે મંદિર દ્વારા ભુજ-નખત્રણા હાઈ વે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન આગામી તા. 23 સપ્ટે. 28 સપ્ટે. દરમિયાન કરવામા આવશે. જેમા એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સેવાનું ૨૪ કલાક પ્રદાન કરવામા આવશે. આ સેવા કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, રાજુભાઈ કાવર, જયેશભાઈ કંસારા, ફીરોઝભાઈ, નવીનભાઈ માણેક, દીનેશ સોલંકી, હસુભાઈ દેત્રોજા, પ્રવિણભાઈ ધામેચા સહીતના સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text