આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રસિંહજી ટાઉન હોલ, નગરપાલિકા ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 10મા સરસ્વતી સન્માન સમારંભ આગામી તા. 15 સપ્ટે.ના રોજ બપોરે 1:30 વાગ્યાથી યોજવામાં આવશે. જેમાં આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બાંધકામ સમિતિ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અમુભાઈ હુંબલ રહેશે. દીપ પ્રાગટય મહંત જગન્નાથ મહારાજના વરદ હસ્તે થશે. આ તકે આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text