- text
મોરબી : ગણેશોત્સવ નિમિત્તે સમગ્ર મોરબીમાં લોકોએ ઘરે કે સાર્વત્રિક સ્થળોએ સ્થાપિત કરાયેલી ગણપતિની મૂર્તિઓનું આજે ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે.
- text
એસ. એસ. ગ્રુપ દ્વારા સતત 6 વર્ષથી ગણેશ વિસર્જનના સ્થળે શરબત વિતરણનું આયોજન કરવામાં આવે છે. વિસર્જન યાત્રા મેઈન બજારમાંથી પસાર થવાની હોય ત્યારે આ વર્ષે પણ ગ્રુપના સભ્યો દ્વારા ગણેશ વિસર્જનના પ્રસંગમાં જોડાયેલા લોકોને શરબત વિતરણ કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા માટે ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
- text