મોરબીમાં એસ. એસ. ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે શરબત વિતરણ

- text


મોરબી : ગણેશોત્સવ નિમિત્તે સમગ્ર મોરબીમાં લોકોએ ઘરે કે સાર્વત્રિક સ્થળોએ સ્થાપિત કરાયેલી ગણપતિની મૂર્તિઓનું આજે ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે.

- text

એસ. એસ. ગ્રુપ દ્વારા સતત 6 વર્ષથી ગણેશ વિસર્જનના સ્થળે શરબત વિતરણનું આયોજન કરવામાં આવે છે. વિસર્જન યાત્રા મેઈન બજારમાંથી પસાર થવાની હોય ત્યારે આ વર્ષે પણ ગ્રુપના સભ્યો દ્વારા ગણેશ વિસર્જનના પ્રસંગમાં જોડાયેલા લોકોને શરબત વિતરણ કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા માટે ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text