હળવદ : પરિણીતાના આપઘાતના પ્રકરણમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાઇ

- text


ત્રણેય આરોપીઓ સામે પરિણીતાને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના પિતાએ તેણીના પતિ અને સાસુ-સસરા સામે ત્રાસ આપીને પોતાની પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતી કાજલબેલ દશરથભાઈ નામની પરિણીતાએ ગઈકાલે ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવને પગલે મૃતકના પિતા નરસિંહભાઈ અમરશીભાઇ ઉધરેજાએ આજે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તેમની પુત્રી કાજલબેલના લગ્ન થયા બાદ તેણીનો પતિ દશરથભાઈ, સાસુ સમુબેન અને સસરા રાજુભાઇ મેણા ટોણા મારીને શારિરીક માનસિક ત્રાસ આપતા હોય આ ત્રાસ સહન ન થતા તેમની પુત્રીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પરિણીતાને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text