મોરબી : રામધન આશ્રમ ખાતે ભક્તિપૂર્ણ વાતાવરણમાં નેજા ઉત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે ભાદરવી અગિયારસ નિમિત્તે રામદેવપીર મહારાજનો નેજા ઉત્સવ મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નેજા ઉત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં સવારે ધૂન અને ત્યાર બાદ પ્રસાદ વિતરણ, બપોર બાદ ભજન, રાસ ગરબા, મહાઆરતી તેમજ રાત્રે પાટ ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ દરેક કાર્યક્રમોને સફળ બનાવવા મુકેશ ભગત સહિતના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text