- text
ટંકારા : રાજકોટ શહેરમાં એડવોકેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા અને સામાજિક સંસ્થાને જરૂરી માહિતી માટે હંમેશા તત્પર રહેતા રાજકોટ નિવાસી કોઠારી પરિવારના એડવોકેટ યોગેશભાઈ કોઠારી, એડવોકેટ દીપકભાઈ કોઠારી, એડવોકેટ નયનભાઈ કોઠારી, એડવોકેટ રૂષભભાઈ કોઠારી અને એડવોકેટ નેમીકુમાર કોઠારી તેમના માતૂશ્રી સ્વ. સરલાબેન સવાઈલાલ કોઠારીના મોક્ષાર્થે જીવદયાનું કાર્ય કરવાની ઈચ્છાથી તેઓએ ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઈ ટ્રસ્ટને ૫૦ હજાર જેટલી માતબર રકમનું દાન અબોલ જીવના નિભાવ અર્થે આપ્યું હતું। આ તકે, ટ્રસ્ટના સંચાલક રમેશભાઈ ગાંધી, દિલીપભાઈ પટેલ અને ધવલભાઇ હાજર રહ્યા હતા.
- text