મોરબીમાં દીક્ષાર્થી બહેનો માટે બહુમાન કાર્યક્રમ સહિત સ્વામી વાત્સલ્ય સંઘ જમણ યોજાયું

- text


મોરબી : મોરબીમાં સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા ગત તા. 8 સપ્ટે.ના રવિવારે શ્રી સ્વામી વાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દીક્ષાર્થી બહેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા સતત 12માં વર્ષે પણ શ્રી સ્વામી વાત્સલ્ય સંઘ જમણ યોજાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગરથી પધારેલા ભાવદિક્ષિત બહેનો રિદ્ધિબેન બેલાણી તથા ફોરમ બેન દોશીના મંડળ દ્વારા દીક્ષાર્થી બહેનોને ચાંદીનું શ્રીફળ તથા પળો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા ના ટ્રસ્ટી ગણ તથા પ્રમુખ અને ઉપપ્રમુખ નું તેમણે આપેલા સહકાર બદલ આભરપત્ર આપી કમલેશભાઈ દફતરી, ભરતભાઈ સંઘવી તથા રમણીકભાઇ મહેતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ સંઘ જમણના મુખ્ય દાતા કિંજલબહેન મહેતા સહિતનાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ દેસાઈ, જયભાઈ મહેતા, રાજુભાઈ ગાંધી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text