મોરબીના શાસ્ત્રી જીગ્નેશભાઈની હરિદ્વારમાં હરિકથા યોજાઈ

- text


મોરબી : મોરબીના શાસ્ત્રી જીગ્નેશભાઈના વક્તા સ્થાને હરિદ્વારમાં ગત તા. 3 સપ્ટે.થી 9 સપ્ટે. સુધી હરિકથાનું આયોજન થયું હતું. જે દરમિયાન નકલંક ધામ તોરણીયાના આશ્રમના રાજેન્દ્ર દાસ બાપુના સાનિધ્યનો ભક્તોએ લાભ લીધો હતો તેમજ બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કથાના મુખ્ય યજમાન તરીકે ગોંડલના કાંતિભાઈ માલવિયા, ભાનુબેન માલવીયા સહીત માલવીયા પરિવારએ ધન્યતા અનુભવી હતી. જેમા માયાભાઈ આહીર, નિરંજનભાઇ પંડયા સહિતના કલાકારોના કાર્યક્રમો યોજીને તેમની કલા પ્રસ્તુતિ લોકોએ માણી હતી.

- text