મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગત તા. 8 સપ્ટે.ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા અંદાજે 73થી વધુ હોંશિયાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમાજના 5 જ્ઞાતિરત્નો કે જેઓએ વિશેષ સિદ્ધિ મેળવી હોય અથવા ખાસ પ્રદાન આપ્યું હોય તેમને વિશિષ્ટ સન્માન આપી નવાજવામાં આવ્યા હતા. આ તકે કેતન પ્રજાપતિ, ડો. રવિ પ્રજાપતિ, દામજીભાઈ નગવાડિયા, એચ.બી. સતાણી, ભાનજીભાઈ વરિયા,પી.એમ.નગવાડિયા, ડો. પી. વી. કાચા, ધીરુભાઈ ભલસોડ, ડો. મેઘનાબેન નગવાડીયા સહિતના સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બંનાવવા માટે હરેશભાઇ મછોયા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text