વાંકાનેરમાં વધુ એક ખેતરમાં ભેંસોને રેઢી મૂકી રૂ.15 હજારના જુવારના પાકને નુકશાન કર્યાની ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના ભોજપરા ગામની વિડી વિસ્તારમાં વધુ એક ખેતરમાં ભેંસોને રેઢી મૂકી રૂ.15 હજારના જુવારના પાકને નુકશાન કર્યાની ખેડૂતે ઢોર માલિક સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ભોજપરા વિડી વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝભાઈ મહમદભાઈ માલવીયા ઉ.વ.36 નામના ખેડૂતે લખમણ રઘુભાઈ ગોલતર સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા.6ના રોજ ફરિયાદીન જુવારવાળા ખેતરમાં આરોપી પોતાની બે ભેંસની પાડી સહિત સાત માલઢોરને રેઢા મૂકી દેતા આ માલઢોર જુવારનો પાક ચરી ગયા હતા અને રૂ.15 હજારના જુવારના પાકને નુકશાન કરતા ફરિયાદીએ આ માલઢોરને ગ્રામ પંચાયતના ડબ્બે પુરાવ્યાં હતા.ત્યાંથી આરોપી દંડ ભરીને માલઢોરને છોડાવી જતા તેમણે આ બાબતે ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text