મોરબીમાં નાલંદા પરિવાર CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

- text


મોરબી : ગત તા. 5 સપ્ટે.ના રોજ સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે નાલંદા પરિવાર CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોને પોતાની જાતે પેપર ક્રાફ્ટથી બનાવેલા બુકે તથા કાર્ડ આપીને શિક્ષકો પ્રત્યે પોતાની ક્રુતજ્ઞતા દર્શાવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળના ઘોરણ ૪ થી ૧૦ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની ભુમિકા નિભાવવામાં આવી હતી. તેમજ દરેક શિક્ષકને પ્રાર્થના સભામાં અનુરૂપ વિશેષણ આપી સન્માનવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ જે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરી તેમને સર્ટિફિકેટ્સ તથા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. CBSE શાળા ના પ્રિન્સિપાલ સુષ્મા જી. પિલ્લાઈ દ્વારા જીવનમાં શિક્ષક તથા માતા-પિતાનો મહિમા સમજાવતા પ્રસંગોચિત સંબોધન કરાયુ હતું. તેમજ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

- text