વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરાયું

- text


વાંકાનેર : આજે વાંકાનેર શહેર પોલીસ મથકમાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણમાં શહેર પી.આઈ એચ.એન. રાઠોડ અને શહેર પીએસઆઈ એ.બી. જાડેજા સહિત સમગ્ર સ્ટાફ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયો હતો અને તમામ લોકોએ પોતાના હાથે વૃક્ષારોપણ કરીને છોડને પાણી પાયું હતું.આ વૃક્ષારોપણ થતાં અને જો આ વાવેલા બધા વૃક્ષો ઉછરી જાય ત્યારે વાંકાનેર શહેર પોલીસ મથક અને પોલીસ લાઈન હરિયાળી બની જશે. જેમનો જશ વર્તમાન સ્ટાફને જશે, તે માટે આ સ્ટાફે વાવેલા વૃક્ષોનું જતન કરવું જ રહ્યું.

- text