મોરબી : સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા ‘સંઘ જમણ’નું આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા સાત વર્ષથી ‘શ્રી સ્વામી વાત્સલ્ય સંઘ જમણ’ નું આયોજન આગામી તા. 8 સપ્ટે.ના રોજ રવિવારે કરવામાં આવ્યું છે. જેનો લાભ જૈન સમાજના ભાઈઓ-બહેનો લઈ શકશે.

સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા દર વર્ષે કંઇક નવું કરવાની પ્રણાલી જૈન સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે તથા આ પ્રણાલી જૈન સમાજ તથા અન્ય સમાજ માટે એક નવો ચીલો ચાતર્યો છે. ગત વર્ષે પર્યુષણના સાત દિવસનું સંઘ જમણ તેમજ સાંજના ચૌવિહાર હાઉસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેને સમાજમાં મંડળની આગવી ઓળખ ઉભી કરી હતી.

- text

ત્યારે આ વર્ષે પણ આવું જ અનેરૂ અને ભવ્યાતિભવ્ય આયોજન સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા આગામી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ રવિવારે શ્રી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિની ભોજનશાળામાં કરવામાં આવ્યું છે. જે આયોજન મુખ્ય દાતા કમળાબેન ડાયાલાલ સુંદરજી મહેતા તથા સમસ્ત સ્થાનકવાસી શ્રાવક સામયિકોના સહયોગથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સફળ રહે તે માટે યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ દેસાઈ મંત્રી રાજુભાઈ ગાંધી તથા જય મહેતા વિપુલ દોશી સહિતના સભ્યો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે સ્થાનકવાસી જૈન ભાઈઓ-બહેનોને પ્રસાદ લેવાનું નિમંત્રણ મંડળના પ્રમુખની યાદીમાં આપવામાં આવ્યું છે. તેમજ વ્યવસ્થાના ભાગરૂપે વાડીના પાછળના પ્રવેશદ્વારથી પ્રવેશ આપવામાં આવશે તેવો ઉલ્લેખ યાદીમાં કરવામાં આવ્યો છે.

- text