ટંકારા સ્થાનકવાસી જૈન સંધ અને દેરાસર ખાતે પર્યુષણ પર્વની ઉજવણી

- text


ટંકારા : ટંકારા સ્થાનકવાસી જૈન સંધ અને દેરાસર ખાતે મોટુ પ્રતિકમણ અને દાદાને વિશેષ આંગી કરી પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૈન જૈનેતરોએ એક બીજાને મિચ્છામિ દુકડમ કહી ખમાવ્યા હતા.

- text

ટંકારામા આવેલ 131વર્ષ જુના પાશ્ર્વનાથ દાદાના દેરાસર ખાતે પર્યુષણના શવંતસરીની વિશેષ આંગી શણગાર મહાવીર મહીલા મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે દેરાસરને રંગબેરંગી રોશની કરવા આવી હતી. અંતમાં મોટુ શવંતસરી પ્રતિકમણ કરી સૌએ એકબીજાને ક્ષમાપના,માફી પછી મિચ્છામિ દુક્કડમ કરી હ્રદય હળવું કર્યું હતું અને ભવિષ્યમાં ફરી અમારાથી કોઈ જીવને કિચીતમાત્ર દુખ ન થાય તેવો સંકલ્પ કર્યો હતો.

- text