ઋષિ પંચમીના દિવસે રંગપર ગામ સ્થિત મહાકાળી માતાજીના આશ્રમે ભવ્ય લોકમેળાનું આયોજન

- text


મોરબી : મંગળવારે ઋષિ પંચમીના દિવસે રંગપર સ્થિત મહાકાળી માતાજીના આશ્રમ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રંગપર ગામે આવેલા મહાકાળી આશ્રમ ખાતે ઋષિપાંચમના લોકમેળાનું જાહેર જનતા માટે આયોજન કરાયું છે. આ મેળામાં સ્ટોલ રાખવા કે ફજત ફાળકા, ચકડોળ જેવી રાઈડ્સ મુકવા માટે કોઈ જ ચાર્જ વસુલવામાં આવતો નથી. રંગપર ગામના સરપંચ કુસુમબા મહેન્દ્રસિંહ ઝાલાએ સ્ટોલ કે અન્ય રાઈડ્સ રાખવા ઇચ્છુક ધંધાર્થીઓને લોકમેળામાં રોજગારી માટે તેમજ જાહેર જનતાને મેળો માણવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. સાથો સાથ રંગપર મહાકાળી માતાના આશ્રમના ભક્તો અને ગામ સમસ્તે પણ આ આયોજનમાં ઉમટી પડવા લોકોને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text