ટંકારાના પ્રખર આર્યસમાજી હસમુખ પરમારનુ અવસાન : બપોરે 2 વાગ્યે અંતિમયાત્રા

- text


ટંકારા : આર્ય સમાજ ટંકારાના સંચાલક, એમ.પી. દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના સભ્ય અને હજારો પરિવારોને વૈદિક યજ્ઞ કરતા કરાવનાર હસમુખભાઈ ધરામશીભાઈ પરમારનું આજે સવારે બ્રહ્મમુહૂર્તમાં દુઃખદ અવસાન થયું છે. જેમનો અંત્યેષ્ઠી સંસ્કાર બપોરે ૨ વાગ્યે નિર્ધારેલ છે. આદરણીય પરમાર સાહેબના પાર્થિવ દેહના અંતિમ દર્શન તેમના નિવાસસ્થાનેથી આર્યસમાજ (ત્રણ હાટડી) ટંકારાના યજ્ઞ ભવનમા રખાયા છે. અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે આર્યસમાજ (ત્રણ હાટડી) ટંકારાથી નીકળશે.

- text