રાજકોટ દવાખાને જવાનું કહીને મોરબીથી મહિલા લાપતા બની

- text


મોરબી : મોરબીમાં રહેતી મહિલા મોરબીથી રાજકોટ દવાખાને જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થઈ ગઈ હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા, ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલ ચાર ગોદામ પાસે રહેતી ભાવનાબેન હસુભાઈ જોગીયાણી ઉ.વ.43 નામની મહિલા ગતતા.12ના રોજ મોરબીથી રાજકોટ દવાખાને જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની ગઈ હતી અને ફોન પણ સ્વીચ ઓફ આવતા તેના પરિવારજનોએ તેમના સગા સંબંધીઓ અને રાજકોટ દવાખાને તપાસ કરી હતી.પણ મહિલાનો પત્તો લાગ્યો ન હતો.આથી તેમના પુત્ર દર્શન હસુભાઈ જોગીયાણીએ તેની માતા ગુમ થયાની સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text