લાયન્સ કલબ અને પી.જી.પટેલ કોલેજ દ્વારા ઓપન મોરબી “બાલકૃષ્ણ શણગાર” હરીફાઈનું આયોજન

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી-નજરબાગ અને પી.જી.પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે તારીખ 24 ઓગષ્ટને જન્માષ્ટમીના દિવસે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” પ્રતિયોગીતાનું અયોજન કરવામાં આવ્યું છે.

- text

આ પ્રતિયોગીતા માટે ફોટોમાં દર્શાવ્યા મુજબના બાલકૃષ્ણને પોતાના ઘેરથી જ શણગારીને લાવવાના રહેશે. આ માટે 21 ઓગસ્ટ પહેલા રજીસ્ટ્રેશન (મો.નં. 98793 70307 પર) કરાવવું જરૂરી છે. આ મો.નં. પર ભાગ લેનારનું નામ, સરનામું અને જો અભ્યાસ ચાલુ હોય તો તેની વિગત સાથેનો મેસેજ કરવાનો રહેશે. ત્યાર બાદ એજ નંબર પરથી સ્પર્ધકને રજીસ્ટ્રેશન નંબર અને કનફર્મ રજીસ્ટ્રેશનનો મેસેજનો રીપ્લાય મળી જશે. જો એક દિવસમાં જવાબ ન મળે કે પ્રતિયોગીતાને લઈને કોઈ પુછપરછ હોય તો સાંજે 06 થી 08 સુધી એ નંબર પર ફોન કરી માહિતી મેળવી લેવી. પ્રતિયોગીતામાં હાજરી સમયે રિપ્લાયમાં મળેલ મેસેજ સાથે લાવવો જરૂરી છે. તારીખ 24 ઓગષ્ટને શનિવારે સવારે 09:30 કલાકે પી.જી.પટેલ કોલેજ, મહેશ હોટલ પાસે, શનાળા રોડ મોરબી ખાતે પ્રતિયોગીતા યોજાશે એમ આયોજકોએ એક યાદીમાં જણાવ્યું છે.

- text