મોરબી : સીરામીક કંપનીની ઓરડીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મકનસર ગામ પાસે આવેલ પેગ્વીન સીરામીક કારખનાની ઓરડીમાં રહેતી વિલાસબેન ચતુરભાઈ ઝાપડીયા ઉ.વ.25 નામની પરણીતાએ ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવ અંગે પોલીસ પાસેથી જાણવા મળતી વોગતો મુજબ આ પરણીતાના નવ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા તેણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા પોલીસે તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text