મોરબી : નવલખી રોડ પરના કૃષ્ણ નગર-2માં ગારા કિચડથી સ્થાનિકો ત્રસ્ત

- text


વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી અંધારપટ્ટના કારણે મુશ્કેલીમાં મુકાયા સ્થાનિક લોકો

મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા કૃષ્ણ નગરના મેઈન રોડ પર ગારા કિચડની ભયંકર સમસ્યા સર્જાય છે.જોકે આ મેઈન રોડ પર વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી રાત્રી દરમ્યાન અંધારપટ્ટને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

- text

મોરબીના નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલની સામે આવેલ કૃષ્ણ નગર-2 વિસ્તારમાં ગારા કીચડની સમસ્યા સર્જાય છે. આ અંગે સ્થાનિક રહીશ રવિભાઈ રાવલે જણાવ્યુ હતુ કે, 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો.ત્યારેથી તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ગારા કિચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે.જોકે ભારે વરસાદ પડ્યા બાદ સમયાંતરે વરસાદી ઝાપટા પડતા હોવાને કારણે ગારા કિચડની સમસ્યા યથાવત રહી છે.આ વિસ્તારનો મેઈન રોડના નાકા પર ગારા કીચડ છે અને ત્યાં આવેલા વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી.તેથી લાઈટ ન હોવાને રાત્રી દરમ્યાન અંધારપટ્ટ સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકી પડે છે અને ફરી ફરીને જવું પડે છે.આથી સ્થાનિકોએ આ સમસ્યા હલ કરવાની તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.

 

 

- text