ટંકારાના લજાઈમાં વૃદ્ધે બીમારીથી કંટાળીને જાત જલાવી જીવન ટૂંકાવ્યું

- text


ટંકારા : ટંકારાના લજાઇ ગામે ૮૫ વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાના જ ઘરે કેરોસીન છાંટીને પોતાની જાત જલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ટંકારા પોલીસે આ આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ જીણાભાઈ મસોત (ઉ.વ.૮૫)ને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય તેઓ પોતાની બીમારીથી કંટાળી ગયા હોવાથી ગઈકાલે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો.જેથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- text