માળિયાના મોટા દહીંસરા ગામે પરિણીતા બે સંતાન સાથે લાપતા

- text


માળિયા : માળિયાના મોટા દહીંસરા ગામે રહેતા વિલાસબા મહેન્દ્રસિંહ જાડેજા તેમના પુત્ર કિર્તીરાજસિંહ ઉ.વ. 6 અને વિદિશાબા ઉ.વ. 3 સાથે ગઈકાલે સાંજે ઘરેથી બાપાસીતારામ મંદિરે જવાનું કહીને ચાલ્યા ગયેલ છે. જે હજુ સુધી ઘરે ન આવતા તેમના પરિવાર દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે લાપતા પરિણીતા અને તેમના બન્ને સંતાનોને શોધવા તપાસ હાથ ધરી છે.

- text