માળિયાના મહેન્દ્રગઢ ગામે ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન

- text


માળિયા : માળિયાના મહેન્દ્રગઢ ગામે ભારે વરસાદને કારણે સર્જાયેલી પુર જેવી સ્થિતિના કારણે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

- text

માળિયા મીં. તાલુકાના મહેન્દ્રગઢ(ફગશિયા)ગામે ભારે વરસાદને કારણે તથા ઉપરવાસના પાણીને કારણે રસ્તા તથા ખેતરોનું ધોવાણ થયુ હતુ.ઉભા પાક પર ધસમસતા પાણી ફરી વળ્યા છે.ગત વર્ષનો દુકાળ અને આ વર્ષની અતિવૃષ્ટિથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે.તેમ ગામના સરપંચની યાદીમાં જણાવાયું છે.

- text