વાંકાનેરના રાતીદેવળી પાસે આસોઇ નદી પરનો કોઝવે તૂટ્યો : પંચાસીયા જવાનો રસ્તો બંધ

- text


વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી પાસે આસોઈ નદી પર આવેલ કોઝવે તુટી ગયો છે જેથી વાંકીયા પંચાસીયા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ આજે આસોઈ નદીમાં આવેલા પુરના કારણે રાતીદેવડી પાસે પંચાસીયા જવાના રસ્તામાં આસોઈ નદી પર આવેલ કોઝવે તૂટી ગયો છે આ કોઝવે પર માત્ર એક થી દોઢ ફૂટ પાણી જતું હતું આટલા પાણીનો મારો રીપેર થયેલ કોઝવે સહન નથી કરી શક્યો અને વચ્ચે એક મોટું ગાબડું પડી ગયું છે જેથી રસ્તો બંધ થઈ ગયો છે.

બે વર્ષ પૂર્વે ભારે વરસાદના કારણે આ કોઝવે તૂટયો હતો, જયાં ત્યારબાદ માટી નાખીને ચાલે એવું કરવામાં આવ્યું હતું બાદમાં તૂટેલા કોઝવેમાં આરસીસીથી રીપેર કરવામાં આવેલો કોજવે માત્ર એક દોઢ ફૂટના પાણીના મારથી તૂટી ગયો છે. જેથી આ કામ કેવું થયું હશે એ કહેવાની જરૂર રહી નથી.

- text

આ કોઝવે તૂટી જવાથી ઉપરવાસના ગામ વાંકીયા, પંચાસીયા ના લોકો ખૂબ હેરાન પરેશાન થઇ જશે. તેઓનો સંપર્ક હાલ વાંકાનેરથી તૂટી ગયો છે તેઓને વાંકાનેર આવવા માટે હવે વાંકિયાના કાચા રસ્તે અથવા તો વાયા મોરબી થઈને આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

 

- text