- text
મોરબી : આજે વહેલી સવારે મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. તાલુકા પોલીસને બનાવની જાણ થતાં સ્થળ પર જઈ મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકા પો.સ્ટે.માંથી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે મીરબીના નજરબાગ અને રફાળેશ્વર વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક યુવકનું ટ્રેન હડફેટે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પો.સ્ટે.ના હેડ.કોન્સ કે.એ.ચૌહાણને બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૃતક યુવાન કિરીટ ચંદુભાઈ નાયક ઉં.વ.16 રહે.હાલ શાપર (વેરાવળ) રાજકોટ, મૂળ રહેવાસી વાણંદપુરા, તા. તારાપુર, જિલ્લો આણંદ વાળો હોવાની ઓળખ મળી હતી. મૃતક માનસિક અસ્થિર હોવાનું જાણવા મળે છે. મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text