મોરબી : સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળા મહોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના દરબારગઢમાં આવેલા બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ તારીખ 17 સુધી સાંજે 4 થી 8 દરમિયાન મળશે. પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ, મોરબી દ્વારા અયોજીત ભવ્ય ‘કલાત્મક ભવ્ય હિંડોળા ઉત્સવ’ ના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હિંડોળાનું ઉદ્ઘાટન મંદિરમાં રહેતા સાંખ્ય યોગી માતાઓ દ્વારા કરી ભક્તોને દર્શન માટે અને જીવના આત્યંતિક કલ્યાણ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. તો આપ સર્વે ધર્મ-પ્રેમી જનતાને દર્શન કરવા પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text