મોરબીના લખધીરવાસ દરવાજા પાસે ઉકરડાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત

- text


મોરબી : મોરબીના લખધીરવાસ દરવાજા પાસે ઉકરડાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. અહીંથી પાલિકા દ્વારા કચરો ઉપાડવામાં ન આવતા ગંદકીના ગંજ જામી ગયા છે.

- text

મોરબીના લખધીરવાસ દરવાજા પાસે છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા જામેલા રહે છે. આ કચરો છેક મેઈન રોડ સુધી પહોંચતા ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બનતા રહે છે. પાલિકા દ્વારા અહીંથી કચરાનું કલેક્શન કરવામાં ન આવતા ગંદકીના ગંજ જામેલા રહે છે. ત્યારે પાલિકા દ્વારા આ અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text