મોરબી : શનાળા બાયપાસ પાસેના સત્યનારાયણ મંદિરે રામધૂન

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે સત્યનારાયણ મંદિરે વરસાદને રીઝવવા માટે 12 કલાક અખંડ રામધૂનનું આયોજન આકરવામાં આવ્યું છે. મોરબીમાં ગત આ વર્ષે ઘણી રાહ જોવડાવ્યા બાદ અમુક વિસ્તારોમાં ગઈ કાલે વરસાદ થયો હતો, પરંતુ અમુક વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે. આથી મોરબીના ભક્તિનગર બાયપાસ પાસે આવેલ સત્યનારાયણ મંદિરમાં ગોપી મંડળી દ્વારા 12 કલાક અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ ખેંચાતા જગતના તાત અને લોકો હેરાન પરેશાન થતા હોવાથી ગોપી મંડળ દ્રારા રામધૂન બોલાવી વરુણદેવને રિઝવવા માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text