મોરબી : સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી

- text


મોરબી : મોરબીના સરસ્વતી શિશુમંદિર શાળાના વિદ્યાર્થીઓએ શનાળા રોડ પર આવેલા મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત ગત તા. 12ના રોજ લીધી હતી. મોરબીની સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક શાળાના ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ શનાળા રોડ પર સ્થિત સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શાળાના બાળકોએ પુસ્તકાલય બાબતે માહિતી મેળવવા માટે પ્રશ્નોત્તરી કરી હતી. વિદ્યાર્થીઓના સવાલોના સંતોષકારક જવાબ મહાદેવભાઈ ગોહેલે આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ તાલુકા પુસ્તકાલયની સ્થાપના 1995માં થઇ હતી. હાલના સમયમાં આ પુસ્તકાલયમાં 20000 જેટલા પુસ્તકો છે અને 3500 જેટલી સભ્યસંખ્યા આ પુસ્તકાલય ધરાવે છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text