ચોટીલાના શહીદ જવાનના પરિજનોને રંગપર (બેલા)ના યુવાનો દ્વારા 1 લાખની સહાય અર્પણ કરાઈ

- text


મોરબી : તાજેતરમાં ચોટીલાના વીર જવાન સરહદ પર શહીદીને વર્યા હતા. આ જવાનના પરિજનોને રંગપર(બેલા) રામેશ્વર કોમ્પલેક્ષના યુવાનો દ્વારા એક લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. ચોટીલાના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડના પરિવારને ૧૦૦૦૦૦ રૂપિયાની સહાય આપી રામેશ્વર કોમ્પ્લેક્ષના યુવાનોએ દેશ દાજનો સાચો જુસ્સો દાખવ્યો હતો. શહીદ પરિવારને સહાય અર્પણ કરવા માટે રામેશ્વર કોમ્પ્લેક્ષના યુવાનોએ શહીદ પરિવારની રૂબરૂ મુલાકાત લઇ તેમને આથી મદદની સાથે સાંત્વના પાઠવી હતી.

- text

 

- text