વાંકાનેરના સરતાનપર ગામે ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


વાંકાનેરના સરતાનપર ગામે ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સરતાનપર ગામ લોકો તેમજ ઠાકોર સેનાના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. આજે સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી કુલ ૩૦ યુનીટ રક્ત સિવિલ હોસ્પિટલ મોરબીના ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓના લાભાર્થે બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં વાંકાનેરના સ્ટેટ કેશરીદેવસિંહ ઝાલા,
ભાણજીભાઈ ડાભી, ચમનભાઈ વરમોરા, દીપકભાઈ સારલા, ગોપાલભાઈ સીતાપરા, ધનજીભાઈ સંખેસરીયા, ભુપતભાઈ બાટીયા, વાઘજીભાઈ ડાંગરોચા, અમુભાઈ ઠકરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text