વાંકાનેર : કેરાળામાં ખુંટીયાને ઝેર આપીને મારી નાખ્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે કોઈ અજાણ્યા શખ્સે બે રઝળતા ખુંટીયાને ખોરાકી ઝેર આપીને મારી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બાબતે સમસેવીકા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા સમાજસેવિકા કૈલાસબેન ગિરધરભાઈ પ્રજાપતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, કે કેરાળા ગામે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બે ગૌવંશને ખોરાકી ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસે આ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને ખોરાકી ઝેર આપનાર એ અજાણ્યા શખ્સને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text