મોરબી રેડિયોમાં આજે સાંભળો મિટ્ટીકુલના મનસુખભાઇ પ્રજાપતિને

- text


મનસુખભાઇ પ્રજાપતિ સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ‘મિટ્ટીકુલ’ના મનસુખભાઇ પ્રજાપતિ સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે.

- text

આજે આ શોમાં ‘મિટ્ટીકુલ’ના મનસુખભાઇ પ્રજાપતિ મહેમાન બનવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 90થી વધારે એવોર્ડ જીતેલા છે. તેઓ હાલમાં ‘મિટ્ટીકુલ’ નામની કંપની ચલાવી રહ્યા છે. આ કંપનીમાં તેઓ રસોઈમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓ માટીમાંથી બનાવે છે. તેઓએ માટીના ફ્રિજની શોધ કરી છે અને માટીની બોટલો પણ બનાવે છે. તેમને અબ્દુલ કલામ દ્વારા પી.એચ.ડી. સાયન્ટિસ્ટની પાડવી એનાયત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત લગભગ બધા નેતાઓને મળ્યા છે અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં અતિથિ તરીકે 15 દિવસ પણ રહ્યા છે. તો આજે તેમના જીવન તથા તેમની કંપની વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text