વાંકાનેર : હત્યાની કોશિશના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

- text


વાંકાનેર : વાંકાનેરમા જુના મનદુઃખનો ખાર રાખીને સરપંચ ઉપર હુમલો કર્યાના કેસમાં હત્યાની કોશીશના ગુનાના આરોપીના કોર્ટે જામીન મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જુના મનદુઃખનો ખાર રાખીને ઉપસરપંચના પતિ સાજીદભાઈ અજિજભાઈ બ્લોચે અન્ય શખ્સો સાથે મળીને સરપંચ ઉપર હુમલો કર્યો હતો.આ મામલે ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે તેમની સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બાદમાં આરોપીએ આગોતરા જામીનની અરજી કરતા કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. બાદમાં આજે આરોપીની રેગ્યુલર જામીનની અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર કરી આપી છે. આરોપી પક્ષે રોકાયેલા વકીલ ધર્મેન્દ્ર બારેજીયા , ડી.એસ.જાની અને વિવેક વરસડા રોકાયેલા હતા.

- text