અમિત શાહે ચૂંટણી પ્રચારની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વાંકાનેરના ભાજપના આગેવાનનો આભાર માન્યો

- text


વાંકાનેર : ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉત્કૃષ્ટ પ્રદશન બદલ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દરેક જવાબદાર કામગીરી કરનાર કાર્યકર્તાઓનો અંગત રીતે પત્ર પાઠવી આભાર વ્યકત કરી રહ્યા છે. જે અંતર્ગત વાંકાનેરના સુરેશભાઈ પ્રજાપતિને સુરેન્દ્રનગરના પ્રસારક તરીકે યોગ્ય કામગીરી બાબતે બિરદાવવામાં આવતો પત્ર અમિત શાહ તરફથી મળ્યો છે.

વાંકાનેરના પંચાસરા રોડ પર ધર્મનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ પ્રજાપતિને લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર ક્ષેત્રનો વિસ્તારક તરીકે હવાલો સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી સુરેશભાઈએ સુપેરે નિભાવીને મોદી સરકાર બનાવવામાં એમનો પણ અમૂલ્ય ફાળો છે એમ જણાવીને એમના માર્ગદર્શનમાં કામગીરી કરનાર દરેક કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કરતો પત્ર અમિત શાહ તરફથી પાઠવવામાં આવ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે અમિત શાહ સંગઠનને લઈને ખૂબ ગંભીર હોય છે. તેમજ બુથ લેવલના કાર્યકરોના પણ અંગત સંપર્કમાં રહી એમનો જોમ-જુસ્સો ચડાવતા રહે છે અને એ જ કારણ છે કે ભાજપ અન્ય પાર્ટીઓની સાપેક્ષ કેડર બેઝ પાર્ટી તરીકે ઓળખાય છે. ઝળહળતા પરિણામ બાદ અંગત પત્ર પાઠવીને કાર્યકરો સાથે સતત આત્મીયતાનો અનુભવ કરાવતા અમિત શાહના આ પત્રથી સુરેશભાઈ તથા તેની ટિમ ગૌરવની લાગણી અનુભવતા ગદગદ બની છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text