મોરબીમાં હેલ્થ અવેરનેસ માટે કાલે રવિવારે ઉદ્યોગપતિઓની સાયકલ યાત્રા

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારે હેલ્થ અવેરનેસ માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં જોડાવાના છે. આ ઉપરાંત જોડાવા ઇચ્છતા અન્ય લોકોને પણ સાયકલીંગ ગ્રૂપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબીના નગરજનો હેલ્થ અને પયાઁવરણ અંગે જાગૃત થાય તેવા આશયથી આવતીકાલે ૧૬/૦૬/૧૯ના રોજ સવારે ૬:૩૦ વાગે સાયક્લીંગ ગુૃપ દ્વારા બાપા સીતારામ ચોક, રવાપર રોડ , નરસંગ ટેકરી મંદિરની બાજુમાથી લઇને સરકીટ હાઉસ સુધી સાયક્લીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગપતિઓ સહિતના અનેક લોકો જોડાવાના છે.

- text