- text
મોરબી : મોરબીના નવાગામ પાસે ભારે પવનના કારણે બે વીજપોલ ધરાશાયી થયા હતા. જો કે બાદમાં વીજ તંત્ર દ્વારા આ વીજપોલને ફરી ઉભા કરી દેવામા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમા વાયુ વાવાઝોડાની અસર ગઈકાલથી જ વર્તાઈ રહી છે. જેના પગલે ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. જેથી નવાગામ પાસે આવેલા બે વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. જો કે વીજતંત્રમાંથી મળતી વિગત અનુસાર આ બન્ને વીજપોલ ખેતીવાડી ફીડરના છે. બન્નેનો ઉપયોગ નહિવત પ્રમાણમાં છે. જો કે આ અંગે જાણ થતા વીજ કર્મચારીઓએ આ વીજપોલને ફરી ઉભા કરી દીધા છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text